HOW TO BE ILLITERATE ?/
ભાગ – 1 લખ્યા પછી ઘણા સંદેશા મળ્યા. વાચકોના મગજમાં મુખ્ય વાત એ ઘુમરાતી લાગી કે આ બધું ભણ્યા તે શું નકામું? તે બધું ભુલી જવાનું?
બહુ જ સાચી અને વજુદવાળી વાત. આપણે જે ભણ્યા તેના થકી તો આપણો જીવનનીર્વાહ ચાલે છે. તેને તો ન જ છોડી દેવાય ને? તો પછી શું છોડવાનું ? શું ભુલી જવાનું?
જે ભુલી જવાની વાત છે તે દરેક ચીજને, દરેક પરીસ્થીતીને મુલવવાની આપણી ટેવની વાત છે. આપણા જોખવાના કાંટા, આપણા ચશ્માં, આપણી પ્રતીક્રીયાઓ આ બધામાં આમુલ પરીવર્તનની વાત છે. આપણી માન્યતાઓ, આપણા પુર્વગ્રહો, આપણા ગમા- અણગમા … આ બધાને બાજુએ મુકવાની વાત છે. એ બધામાં ‘ઢ’ બનીને એકડે એકથી ફરી શરુ કરવાની વાત છે.
આપણી જે કાંઇ સમસ્યાઓ છે તેના મુળમાં આ અધુરું જ્ઞાન રહેલું છે. તે જ્ઞાનને તીલાંજલી આપી નીષ્પક્ષ રીતે આપણા જીવનમાં આવતી વ્યક્તીઓ, સમસ્યાઓ, પરીસ્થીતીઓ – એ બધાંનું મુલ્યાંક્ન કરવાની વાત છે – કોઇ પુર્વગ્રહ વીના. સાવ તાજી વીચારધારાના આધાર પર.
કદાચ…
View original post 427 more words